28/08/2026
ઝાંઝરડા TP સ્કીમ નં 7 બાબત
મે માહિતીના અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ જુનાગઢ શહેર વિકાસ સત્તામંડળ સમક્ષ ટી.પી. સ્કીમ નં. ૭ (TP Scheme No. 7) અંતર્ગત વાંધા-સૂચનાઓ, તેના પર થયેલી કાર્યવાહી, વાંધા રજૂ કરનારની યાદી તથા સંબંધિત રેકોર્ડની પ્રમાણિત નકલો મેળવવા માટે અરજી કરેલ હતી.
જેના જવાબમાં જન માહિતી અધિકારીશ્રીએ પત્ર ક્રમાંક ૨૩/૧૨૩૫૦, તારીખ ૨૫/૦૮/૨૦૨૬ થી ત્રણેય મુદ્દાઓમાં માહિતી આપવાનો ઇન્કાર કરતા એવું કારણ દર્શાવ્યું છે કે "માગવામાં આવેલ માહિતી પ્રશ્ન સ્વરૂપની હોઈ, કેવળ માહિતીની માંગણી કરતી નથી."
જન માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલું ઉપરોક્ત કારણ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી અને તદ્દન પાયાવિહોણું છે, કારણ કે:
માહિતીના અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૨(ફ) મુજબ "માહિતી" ની વ્યાખ્યામાં કોઈપણ રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાય, સલાહ, પ્રેસ વિજ્ઞપ્તિ, પરિપત્ર, આદેશ, લોગબુક, કરાર અને કોઈપણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપના દસ્તાવેજો તથા કોઈપણ ખાનગી સંસ્થા સંબંધિત માહિતી જે તે સમયના સરકારી કાયદા હેઠળ સત્તાધિકારી મેળવી શકે છે તેનો સમાવેશ થાય છે.
મે કોઈ વ્યક્તિગત કે કાલ્પનિક સલાહ-સૂચનો નથી માંગ્યા, પરંતુ ટી.પી. સ્કીમ નં. ૭ અંતર્ગત સત્તાવાર રીતે નોંધાયેલા વાંધા-સૂચનાઓ અને તેના પર થયેલી વહીવટી કાર્યવાહીના ભૌતિક દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગી છે, જે સાર્વજનિક રેકોર્ડનો ભાગ છે.
માત્ર વાક્ય રચના અથવા પૂછપરછના ઢાંચાને આધાર બનાવીને કાયદેસરના જાહેર દસ્તાવેજો આપવાનો ઇન્કાર કરવો એ RTI કાયદાની ભાવના વિરુદ્ધ છે. ગુજરાત માહિતી આયોગના અગાઉના અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ થયેલ છે કે અરજદાર દ્વારા માંગવામાં આવેલ રેકોર્ડ કે અહેવાલ પ્રશ્ન સ્વરૂપનો હોવા માત્રથી તેને રદ કરી શકાય નહીં...